સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th May 2019

ભેંસાણના મોરવાડા ગામે બંધ મકાનમાંથી ૫૧,૫૦૦ની મત્તાની ચોરી

ત્રણ શખ્સો હાથફેરો કરીને ફરાર

જૂનાગઢ તા. ૧૫ : ભેંસાણના મોરવાડા ગામે બંધ મકાનમાંથી ત્રણ શખ્સો રૂ. ૫૧,૫૦૦ની મત્તાની ચોરી કરીને મોટરસાયકલ ઉપર ફરાર થઇ જતાં સનસનાટી મચી ગઇ હતી.

આ અંગેની વિગતો એવી છે કે, ભેંસાણ તાલુકાના મોરવાડા ગામે રહેતા મનસુખભાઇ ભનુભાઇ કોટડીયા મકાનને તાળુ લગાવીને પરિવાર સાથે બહારગામ ગયા હતા.

ત્યારે તેમના બંધ મકાનમાં ખાબકી તસ્કરો સોનાનો ચેન, બ્રેસલેટ વગેરે મળી કુલ રૂ. ૫૧,૫૦૦ની કિંમતના સોનાના દાગીના ચોરીને નાસી ગયા હતા.

ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. જેમાં મોટરસાયકલ ઉપર આવેલા ત્રણ શખ્સો હાથફેરો કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

(1:19 pm IST)