News of Wednesday, 15th May 2019
ઉનાના અંજારમાં મચ્છુન્દ્રી-૩ની પાઇપલાઇન તુટીઃ હજારો લીટર પાણીનો બગાડ
ઉના તા.૧૫: તાલુકાના અંજાર ગામે મચ્છુન્દ્રીના ચેકડેમનીલાયન તુટી જતા હજારો લીટર પાણી વેડફાયું હતું.
ઉના શહેર અને તાલુકામાં પાણીનો પોકાર ચાલી રહ્યો છે ત્યારે લોકો પાણી માટે તરસી રહ્યા છે અને લોકોને પુરતું પાણી નથી મળી રહ્યો તેવી સ્થિતિમાં એક પણ બંુધ પાણી કીમતી હોય છે. ત્યારે ઉના રોડ આવેલીમચ્છુનદ્રી નદીના ચેકડેમમાં લાઇન બે દિવસથી લાઇન તૂટી પડતાં હજારો લીટર પાણી વેડફાતા અને પાણીનો બગાડ થતાં અને તેની પાણી પુરવઠા, વિભાગને ખબર જ ન હોય તેવા લોકોમાં પ્રશ્ન ઉઠવા પામ્યા છે.
(11:22 am IST)