સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th May 2019

કચ્છમાં પ્રેમી પંખીડાઓએ સજોડે કર્યો આપઘાત- દલિત યુવાન અને સગીર આહીર યુવતી ઝાડ ઉપર લટકી જીવ દીધો

ભુજ, તા.૧૫:  એકમેકના પ્રેમમાં રત એવા ગળપાદર (તા.ગાંધીધામ)ના બે પ્રેમી પંખીડાઓએ સજોડે આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ કિસ્સામાં ૧૪ વર્ષીય સગીર આહીર કિશોરી રાધીબેન બાબુભાઇ વીરડા અને ૨૦ વર્ષીય દલિત યુવાન ભાવેશ દેવજી સોલંકીએ ગળપાદર અને વરસામેડી ગામની વચ્ચે આવેલી વાડીમાં ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈને પોતાનો જીવ દઈ દીધો હતો. મૃતક સગીરા અને યુવાન પોતાને ઘેરથી ગુમ થઈ ગયા હતા. તેમની શોધખોળ ચાલુ હતી. તે દરમ્યાન વરસામેડી ગામની વાડીમાં બન્ને લટકતી હાલતમાં દેખાતા પોલીસને જાણ કરાઈ હતી. મૃતક સગીરા રાધીબેન અભ્યાસ કરતી હતી તે અને દલિત યુવાન ભાવેશ બન્ને એકમેકના પ્રેમમાં હતા.  પીએસઆઇ જે.જે. જાડેજા આ બનાવની તપાસ કરી રહ્યા છે.

ભુજના કુરબઇ ગામે બાળકીની છેડતી કરનારને દાદાએ ઠપકો આપતા હુમલો

કચ્છમાં સગીર બાળાઓ સાથેની છેડતીના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ભુજ તાલુકાના કુરબઇ ગામે સગીર બાળાની છેડતી કરનાર યુવાન ઢગાને બાળકીના દાદાએ ઠપકો આપતા આ લફંગા યુવાને વૃદ્ઘ વડીલની ઉંમર ભુલી જઈ તેમને ફટકાર્યા હતા. આ મામલે કુરબઇ ગામના હીરજી ઉર્ફે હિરલા જુમા મહેશ્વરી નામના યુવાન વિરુદ્ઘ નિર્લજ્જ હુમલા સહિતની કલમો હેઠળ પોલીસ ફરિયાદ કરાઈ છે.

(10:04 am IST)