સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th April 2019

ગારીયાધારમાં રામ નવમીની ઉજવણી શોભાયાત્રામાં રામભકતો જોડાયા

ગારીયાધાર તા.૧૬: શહેરમાં વિશ્વ હિન્દુ પરીષદ અને રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા રામનવમી નિમિતે શોભાયાત્રા નિકળી હતી.

આ શોભાયાત્રામાં ભીડભંજન મહાદેવ મંદિરથી એસ.ટી. સ્ટેશન, ગાંધી ચોક, મેઇન બજાર, જગ્યાવાળી શેરી થઇ પરત ભીડભંજન મહાદેવ મંદિર ખાતે પરત ફરી હતી. આ શોભાયાત્રા પરીષદના કાર્યકરો, સમિતિના આગેવાનો, પત્રકારો, વેપારીઓ, વકીલો અને યુવાનો સહિતના લોકો જોડાયા હતા.

શહેરના કેટલાક મંડળો દ્વારા સરબતના સ્ટોલ મુકાયા હતા તેમજ મહિલા મંડળ દ્વારા પણ શોભાયાત્રા દરમિયાન રામધુન લેવાઇ હતી. આ શોભાયત્રાનું પ્રસ્થાન પરિષદના રાજેશ સાકરીયા, વિપુલભાઇ જોષી, ધારાસભ્ય પ્રવિણભાઇ ઘોઘારી અને મહેશભાઇ ખેની દ્વારા કરવામાં આવી હતી.

(11:42 am IST)