સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th March 2019

ગઢડા ગોપીનાથજી મંદિરની બહેનો દ્વારા બે લાખનું અનુદાન એકત્ર :ચેક શહિદોના પરિવાર માટે અપાયો

સાંખ્યોગીની દ્વારા બે લાખનો ચેક કલેક્ટરને અર્પણ કરાયો

ગઢડા :જમ્મુ કાશ્મીરના પુલવામાં ખાતે શહીદ થયેલા જવાનોના પરિવારો સાથે સમગ્ર દેશવાસીઓની લાગણી જોડાઈ છે શહીદ વિરોના પરિવારો માટે અનુદાન એકત્ર થઈ રહ્યું છે તેવા સમયે શહીદ વિરોના પરિવારજનોને મદદ રૂપ થવા માટે ગઢડાના ગોપીનાથજી દેવ મંદિરના સાંખ્યોગીની મેઘનાબેન તથા જયશ્રીબેન દ્વારા પુલવામાં શહીદ થયેલા પરિવારજનો માટે ,૦૦,૦૦૦ બે લાખ નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો

  તેમજ જિલ્લા અધ્યક્ષ સુરેશભાઈ ગોધાણી દાદા ખાચર પરિવાર ના ગિરિરાજ ભાઈ ખાચર તેમજ જિલ્લા મહામંત્રી મનહરભાઈ માતરિયા અને શહેર પ્રમુખ ભીખુભાઇ વાઘેલા,ચંદુભાઈ સાવલિયા, હરેશભાઇ પીઠવા, યુનુષભાઈ બેલીમ પણ સાથે ઉપસ્થિત રહ્યા હતા રકમ શહિદ વિરો ના પરિવાર જનોને મળે તે માટે કલેકટરીને અનુરોધ કરી ચેક અર્પણ કરવામાં આવેલ.

(11:08 pm IST)