News of Thursday, 14th March 2019
સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત
રાજકોટ તા.૧૪: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા સર્વત્ર મિશ્ર રૂતુનો માહોલ યથાવત છે અને મોડી રાત્રીના તથા વહેલી સવારના સમયે ઠંડકની અસરનો અનુભવ થાય છે.
સવારના સમયે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ-જેમ દિવસ પસાર થાય છે તેમ-તેમ ગરમીની અસર વધવા લાગે છે અને બપોરના સમયે મહતમ તાપમાનનો પારો ધીમે-ધીમે ઉંચે ચડવા લાગે છે અને આકરા ઉનાળાનો અનુભવ થાય છે.
જામનગર
જામનગરઃ શહેરનુ હવામાન મહતમઃ૨૮.૫, લઘુતમઃ૧૮, ભેજઃ ૬૮ ટકા, પવનઃ ૧૨.૬ કી.મી. પ્રતિ કલાક રહી હતી.
(3:50 pm IST)