સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th March 2019

ભાવનગરના ઝાંઝમેરમાં ઇલે.શોક લાગતા વૃદ્ધનું મોત નિપજયું

ભાવનગર, તા. ૧૪ : અત્રેના ઝાંઝમેર ગામે ઇલેકટ્રીક શોક લાગતા વૃદ્ધનું મોત નિપજયું હતું.

મળતી વિગતો મુજબ ભાવનગર જીલ્લાના તળાજા તાલુકાના ઝાંઝમેર ગામે રહેતા દાનાભાઇ દેવજીભાઇ મકવાણા ઉ.વ.૬૪ પોતાની વાડીમાં ઇલેકટ્રીક મોટર શરૂ કરવા જતાં તેને શોક લાગતા ગંભીર હાલતે હોસ્પિટલ ખસેડાયેલ જયાં ફરજ પરના ડોકટરે તપાસી મૃત જાહેર કરેલ. આ અંગે તળાજા પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

ભાવનગરમાં બાઇક-એકટીવા અથડાતા વૃદ્ધને ગંભીર ઇજા

ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં બાઇક અને એકટીવા અથડાતા સર્જાયેલ અકસ્માતમાં મધુકરભાઇ ભટ્ટ ઉ.વ.૭૮ ન માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેને હોસ્પિટલ ખસેડાયેલ છે જયાં તેની સ્થિતિ ગંભીર ગણાવાઇ રહી છે. આ અંગે એ-ડીવીઝન પોલીસ તપાસ ચલાવી રહી છે. (૮.૯)

(11:21 am IST)