ઉનાના સોનારીની બાળાને લગ્નની લાલચ આપીને યુવાને દુષ્કર્મ કર્યુઃ ગર્ભ રહેતા પડાવી નાખ્યો
ભીંગરણના યુવાન સામે લગ્ન ન કરી વિશ્વાસઘાત અને છેતરપીંડીની પોલીસ ફરિયાદ
ઉના તા.૧૪: તાલુકાના સોનારી ગામે સગીરાનું ભીંગરણ ગામનો યુવાન લગ્નની લાલચ આપી અપહરણ કરી દુસકર્મ કરી ગર્ભ રાખી ગર્ભને પડાવી નાખી લગ્ન ન કરી વિશ્વાસઘાત છેતરપીંડી કર્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.
સોનારીગામની સગીરા જે ખેત મજુરી કરતી હતી. અને તેની સાથે ભીંગરણ તા.ઉના ગામનો રોહીત મોહનભાઇ વાજા (ઉ.વ.૨૪)વાનાએ. મિત્રતાબાંધી વિશ્વાસ કેળવી સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી અને જુદી જુદી જગ્યાએ લઇ જઇ દુસકર્મ (બળાત્કાર) કરી તેને ગર્ભ રાખી દિધો હતો આ અંગે સગીરાએ યુવકને કહેતા યુવકે સગીરાને ગોળીઓ ખવડાવી ગર્ભ પડાવી નાખ્યો હતો. ત્યાર બાદ પણ સગીરા લગ્ન કરવાનું કહેતા આ નરાધમે લગ્ન કરવાની ના પાડી તર છોડી દેતાં યુવતી છેતરાઇ ગઇ હોવાનું માલુમ પડયે તેમના માતાને વાત કરેલ.
બન્ને માતા-દિકરી ઉનાની મહિલા આગેવાન ને મળતા ઉના પોલીસ સ્ટેશને આવી ઉનાના પોલીસ ઇન્સ્પેકટર દિલીપસિંહ ગોહીલને રજુઆત કરતા ઉના પોલીસે સોનારીગામની યુવતીની ફરીયાદ નોંધી આરોપી રોહીત સામે આઇપીસી ૩૬૩,૩૬૬,૩૭૬,૩૧૩,૩એ,૪૫.૬ પોસ્કો એકટ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા પીએસઆઇ આર.એન.રાજ્યગુરૂ ત્થા સ્ટાફએ તપાસ શરૂ કરી યુવતિ જે ૪ વરસે પુખ્ત થઇ ગઇ હોય છેતરાયાની હકીકત બહાર આવી છે. પોલીસે યુવતીની તબીબી તપાસ કરાવવા કાર્યવાહી શરૂ કરી છે.