લીલાપુર ગામ પાસેબાઇક-ટ્રેકટર અકસ્માતમાં ઘેટા કેન્દ્રના નિવૃત ડોકટરનું મોત
જસદણ તા ૧૧ : વાજસુરપરામાં રહેતા ઘેટા કેન્દ્રના નિવૃત ડોકટર નું ગત મોડી રાત્રિના લીલાપુર ગામ નજીક બાઇક અને ટ્રેકટર વચ્ચે થયેલા અકસ્માતમાં મોત થયું હતું.
બ્રહ્માકુમારી સંસ્થામાં સેવા કાર્ય કરતા રઘુભાઇ ચોથાભાઇ શીરોળીયા (ઉ.વ.૫૯) લીલાપુર ગામેથી એક બ્રહ્માકુમારીના ધાર્મિક કાર્યક્રમ પતાવી જસદણ પરત ફરતાં હતા ત્યાં ગામ નજીક એક ટ્રેકટરે તેમને હડફેટે લીધા હતાં અને ધટના સ્થળે તેમનું કરૂણ મોત નિપજતાં આ અંગે સમાજિક કાર્યકર વિરમભાઇ મેવાડા સહિતના આગેવાનો જસદણ સરકારી હોસ્પિટલે દોડી ગયાં હતાં. મૃતક અપરણિત હતા. તેમને વર્ષોથી બ્રહ્માકુમારી સંસ્થા સાથે લગાવ હોવાથી સેવા આપતા હતા. ગત મોડી રાત્રિના તેમનું અકસ્માતમા ં કરૂણ મોત નિપજતા ં બ્રહ્માકુમારી સંસ્થા અન ે સમાજમાં શોકભીની લાગણી પ્રસરી હતી.