સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th January 2019

માનસિક બિમારીથી કંટાળીને હરિપુર-ગીરનાં વૃદ્ધાનું અગ્નિસ્નાન

ઝેરી દવાની અસર થતાં વૃદ્ધ સારવારમાં

 જૂનાગઢ તા.૧૧: માનસિક બિમારીથી કંટાળીને હરિપુર-ગિરનાં વૃદ્ધાએએ અગ્નિસ્નાન કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

મેંદરડા તાલુકાનાં હરિપર-ગિર ગામનાં બાવાજી હિરાબેન કાંતીગીરી મેઘનાથી (ઉ.વ.૬૫) છેલ્લા ૧૮ વર્ષથી માનસિક રીતે બિમાર હતા.

આખરે બિમારીથી કંટાળીને હિરાબેને ગઇકાલે સાંજે પોતાના શરીર પર પોતાની મેળે કેરોસીન રેડી દિવાસળી ચાંપી દેતા ગંભીર રીતે દાઝી ગયા હતાં.

આ વૃદ્ધાને તાત્કાલીક તાલાલા ખાતેની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ જયાં ફરજ પરનાં ડો. માકડીયાએ હિરાબેનને મૃત જાહેર કર્યા હતાં.સારવારમાં કેશોદ તાલુકાનાં ગળચ ગામનાં જડુભાઇ પાતાભાઇ બસીયા (ઉ.વ.૬૫)ને જંતુનાશક દવાની ઝેરી અસર થતાં તેમને જૂનાગઢ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ છે.(૧.૧૦)

(11:48 am IST)