મોરબીના યુવા એડવોકેટ મિતેષ દવેની રાષ્ટ્રીય પરિષદના સંયોજક તરીકે વરણી
મોરબી તા. ૧૧ : જીલ્લાના યુવા એડવોકેટ મિતેષ દવેને મોરબી જીલ્લાના સંયોજક તરીકે અને રૂપેશભાઈ રાણપરાની સહ સંયોજક તરીકે નિયુકિત કરવામાં આવી છે.
તાજેતરમાં રાષ્ટ્રીય મુદ્રા પરિષદ કાર્યકારિણી ઇન્દોર મધ્યપ્રદેશ ખાતે યોજવામાં આવી હતી જે પરિષદની બેઠકમાં રાષ્ટ્રીય મુદ્રા પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ગીરીશ શર્મા 'આદિત્ય' દ્વારા સર્વસંમતિથી મોરબીના યુવા એડવોકેટ મિતેશ દવેની સંયોજક તરીકે અને સહ સંયોજક તરીકે રૂપેશ રાણપરાની નિયુકિત કરવામાં આવી છે.
રાષ્ટ્રીય મુદ્રા પરિષદનો મુખ્ય ધ્યેય સમાજમાં સિક્કા, નોટની જે ફ્રોર્જારી અને નકલી ચલણ ફરે છે તેને રોકી ભારતીય સંસ્કૃતિનું જતન કરવાનું છ.ે મિતેશ દવે યુવા વકીલ છેલ્લા બે દાયકાથી દેશ વિદેશના ચલણનો સંગ્રહ કરવાનો શોખ ધરાવે છે. જયારે રૂપેશભાઈ રાણપરા યુવા ઉદ્યોગપતિ એક દાયકાથી ભારતીય ચલણનો સંગ્રહ કરવાનો શોખ ધરાવે છે.(૨૧.૫)