સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th November 2018

સુરેન્દ્રનગર: પાટડીમાં બે જૂથો વચ્ચે અથડામણ : પાંચ લોકોને ઇજા:જુના મનદુઃખને કારણે ધીંગાણું : તંગદિલી

ગાયત્રી મંદિર વિસ્તારમાં પોલીસ દ્વારા ચુસ્તબંદોબસ્ત ગોઠવાયો

સુરેન્દ્રનગર: પાટડીમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા પાંચ લોકોને ઇજા થઇ હોવાની માહિતી મળી છે. અથડામણની ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં તંગદીલી ભર્યો માહોલ સર્જાયો હતો.

 

  પ્રાથમિક તપાસમાં જણાવા મળ્યું છે કે, પાટડીમાં અગાઉ થયેલા ઝગડાનું મનદુ:ખને લઇ બે જૂથ બાખડ્યા હતા. નજીવી બાબતે મોટું સ્વરૂપ ધારણ કરી લેતા બે જૂથ એક-બીજાની સામસામે આવી ગયા હતા. આ અથડામણમાં અંદાજે 5થી 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

  આ સમગ્ર મામલાની જાણ થતા પોલિસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને તોફાનીઓને વેર વિખેર કરી ગાયત્રી મંદિર વિસ્તારમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

(10:50 pm IST)