સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th November 2018

કોડીનારમાં સગીરાએ 35 વખત પ્રપોઝ નકાર્યું, માથાભારે યુવકે 35 ચાકૂના ઘા મારી કરી હત્યા!

ધરાર પ્રેમીએ સગીરાને 35 વખત પ્રપોઝ કર્યું હતું : વારંવાર હેરાન કરતો

સોમનાથઃ કોડીનારમાં  માથાભારે પ્રેમીએ સગીરાને ચાકૂના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી આ ઘટનામાં સગીરાએ યુવકનો પ્રસ્તાવ 35 વખત નકાર્યો હતો. જેનાથી ગુસ્સે થઈને તેણે સગીરાના શરીર પર 35 વખત ચાકૂથી વાર કરી હત્યા કરી. પોલીસે આરોપી યુવક અને તેના પિતાની ધરપકડ કરી લીધી છે.

 

  સોમવારે પોલીસને એક 16 વર્ષની સગીરાનો મૃતદેહ મળી આવ્યો હતો. સગીરાની ઓળખ વિનિશા ઠક્કર તરીકે સામે આવી હતી. તે અંબુજા સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. પોલીસે જણાવ્યું છે કે આરોપી કશ્યપ પુરોહિત પણ તે જ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો અને ધોરણ 12 પછી અભ્યાસ છોડી દીધો હતો. તેના પિતા એક પૂજારી છે.
  પોલીસે જણાવ્યું કે, વિનિશાના પિતાએ દાખલ કરેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે કશ્યપને વિનિશા સાથે એક તરફનો પ્રેમ હતો. છ મહિના પહેલા તેણે વિનિશાને પ્રમોઝ કર્યું હતું. કશ્યપ વારંવાર વિનિશાને હેરાન કરતો અને ફોન અને મેસેજ કરતો હતો. એક દિવસ વિનિશાની માતાએ કશ્યપનો ફોન રિસીવ કરી લીધો અને તેને ફટકાર લગાવી હતી.
  કોડીનારના ઈન્સ્પેક્ટર જીએમ ચાવડાએ જણાવ્યું કે 5 નવેમ્બરની સાંજે 5 વાગ્યે કશ્યપ અને તેની એક મિત્ર ધરતીની મદદથી વિનિશાને શિવ મંદિર પાસે બોલાવી. વિનિશા પહોંચી તો કશ્યપે ફરી એક વખત પ્રપોઝ કર્યું અને હંમેશાની જેમ વિનિશાએ ના પાડી હતી. આ સમયે ગુસ્સે થયેલા કશ્યપે વિનિશા પર ચાકૂ વડે હુમલો કર્યો અને એક પછી એક 35 વાર કર્યા. પોલીસે યુવક, યુવકની મિત્ર ધરતી અને તેના પિતાની ધરપકડ કરવામાં આવી છે.

(10:17 pm IST)