સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 4th June 2018

અમરેલી: લિખાળા ગામે કુવામાં 1 સિંહ અને 10 નીલગાયના મોત મામલે પિતા-પુત્રની ધરપકડ

અમરેલી જિલ્લાના લિખાળામાં એક કુવામાંથી 1 સિંહ અને 10 નીલગાયના મૃતદેહ મળી આવવાના મામલે પિતા પુત્રની ધરપકડ કરાઈ છે અમરેલીમાં ત્રણ દિવસ પહેલા લીખાળા ગામે એક કૂવામાંથી 1 સિંહ અને 10 નીલગાયના મૃતદેહ મળી આવવાના મામલે વનવિભાગે  બંને ખેડૂતો નનુ સુહાગીયા અને અરવિંદ સુહાગીયા પિતા પુત્રની ધરપકડ કરી છે


  અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લાનાં સાવરકુંડલાના લીખાળા ગામે એક સિંહ અને 10 નીલગાયના મૃતદેહ કૂવામાંથી મળી આવ્યા હતા વન વિભાગે આશંકા વ્યક્ત કરી હતી કે વન્ય પ્રાણીઓને મારીને ગુનો છૂપાવવા માટે કૂવામાં નાંખી દેવામાં આવ્યા હશે. જે કૂવામાંથી નીલગાય અને સિંહનાં મૃતદેહો મળ્યાં છે તે અંદાજે 50 ફૂટ ઉંડો કૂવો છે. વન્ય પ્રાણીઓના મૃતદેહોને જોતા એમ લાગતું હતું કે આ ઘટના અંદાજે ત્રણેક દિવસ પહેલા બની હશે.

(12:55 pm IST)