સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 4th June 2018

કોડીનારમાં ખેડુતોએ દુધ ઠાલવી દીધું

 કોડીનારઃ દેશભરમાં ખેડુતો કેન્દ્ર સરકાર સામે ખેત પેદાશોના પોષણક્ષમ ભાવના મુદે તા. ૧થી આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે તેનો પડઘો કોડીનાર પંથકમાં પણ પડયો છે.તાલુકાના સરખડી ગામે પશુ પાલકો દ્વારા દુધના કેન રોડ ઉપર ઠલાવી દીધા હતા અને રોષ વ્યકત કર્યો હતો. જયારે આજે સવારે પણ કોડીનાર સ્યુગર ફેકટર સર્કલ પાસે પણ ખેડુતોએ પોતાના દુધના કેન રોડ ઉપર ઠલાવી સરકાર સામે સુત્રોચાર કરી પોતાનો રોષ વ્યકત કરવામાં આવેલ.(૬.૧૦)

(11:58 am IST)