સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th April 2018

મીશન મુસ્કાન મુજબ પરિવારથી વિખુટા પડેલ બે બાળકોને શોધી મીલાપ કરાવી આપતી જામનગર પોલીસ

જામનગર તા. ૧૬ : માણસુરભાઇ હરસુરભાઇ સોરીયા ચારણ  તથા જેશાભાઇ મેરામણભાઇ ચારણ રહે. બન્ને ચારણનેશ પો.સ્ટે. આવી પોતાના બાળકો (૧) કાનો માણસુરભાઇ હરસુરભાઇ ચારણ ઉ.૪ તથા (ર) મેહુલ જેશાભાઇ મેરામણભાઇ ચારણ ઉ.૪ ઘરેથી ગુમ થયેલ છે અને તપાસ કરતા મળી આવેલ નથી તેમ પો.સ્ટે. આવી જાણ કરતા સીટી સી ડીવી.પો.સ્ટે.ના ઇન્ચાર્જ પો.ઇન્સ. જી.જે.ગામીતે સર્વેલન્સ સ્ટાફને અલગ અલગ ટીમો બનાવી આ ગુમ થનાર બાળકોને શોધવા માટે શહેર વિસ્તારમાં રવાના કરેલ અને પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ દ્વારા ગુમ થનાર બાળકોને શોધવા માટે પુરતા સનિષ્ઠ પ્રયત્નો હાથ ધરાતા ગુમ થનાર બન્ને બાળકો સમર્પણ સર્કલ પાસે શ્રીનાથજી ટ્રાવેલ્સની ઓફીસ પાસેથી મળી આવતા આ બાળકોને પો.સ્ટે. લાવી તેના વાલીઓને બોલાવી સોપી આપવામાં આવેલ હતા. પોલીસની આ ત્વરીત અને નિષ્ટાપૂર્વકની કામગીરીને ગુમ થનાર બાળકોના વાલીઓએ તથા ચારણ સમાજના પ્રમુખ દેવીદાનભાઇ ગઢવીએ બીરદાવી હતી.

આ કાર્યવાહી પો.હેડકોન્સ. પ્રતિપાલસિંહ જીતુભા જાડેજા તથા હેડ.કોન્સ. દિલીપભાઇ એન.તલાવડીયા તથા પો.કોન્સ. લાભુભાઇ જી.ગઢવી તથા પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ જી.ઝાલા તથા પો.કોન્સ. મહિપાલસિંહ મયુરસિંહ જાડેજા તથા પો.કોન્સ. હિતેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા તથા પો.કોન્સ. રમેશભાઇ સોમાભાઇ ચાવડા તથા પો.કોન્સ. હિતેષભાઇ જગદીશભાઇ મકવાણા તથા પો.કોન્સ. રાજેન્દ્રસંહ બચુભા જાડેજા વિગેરેએ કરેલ છે.(૬.૧૦)

(1:05 pm IST)