સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th January 2018

જુનાગઢમાં ચાઇનીઝ તુક્કલ વેચતા બે વેપારી સામે મનપાની દંડનીય કાર્યવાહી

જુનાગઢ, તા. ૧૩ : જુનાગઢમાં ચાઇનીઝ તુક્કલ વેચતા બે વેપારી સામે મનપાએ દંડનીય કાર્યવાહી કરતા અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ચાઇનીઝ પતંગો દોરા વગેરે ના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં વેચાણ થતુ હોવાની જાણ થતાં કમિશ્નર વી.જે. રાજપુતની સુચનાથી આસી. ટેકસ કમિશ્નર પ્રફુલ કનેરીયા વગેરેએ સાંજે ઝાંઝરડા વિસ્તારમાં ચેકીંગ હાથ ધર્યું હતું.

ર૦ વેપારીઓને ત્યાં દરમ્યાન બે વેપારી ચાઇનીઝ તુક્કલ વેચતા હોવાનું પકડાતા બંનેને રૂ. ર૦૦૦નો દંડ ફટકારી શ્રી કનેરીયાએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. (૮.૧૦)

(12:09 pm IST)