ગોંડલમાં ભૂદેવો દ્વારા આવેદનપત્ર
જામનગર રહેતા અને કર્મકાંડી નિર્દોષ ગરીબ બ્રાહ્મણ હિતેશભાઇ લાભશંકર જોષી પર વિજ્ઞાન જાથાના જયંત પંડયા અને તેના મળતિયાઓ દ્વારા પોલીસ બંદોબસ્તનો દુરૂપયોગ કરવામાં આવેલ દમન અંગે ગોંડલના કર્મકાંડી ભૂદેવો દ્વારા રેલી કાઢી પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રમાં વિજ્ઞાન જાથાના નેજા હેઠળ સમાજ સેવાના નામે નિર્દોષોને પરેશાન કરવા ગેરકાનુની પ્રવૃતિ ચાલી રહી છે. શિક્ષણ સમિતીની શાળામાં બાળકોની શિષ્યવૃતિ પૈસાવાળા કરવાના આરોપમાં જયંત પંડયા સસ્પેન્ડ થયેલ છે આમ તેનો ઇતિહાસ ભ્રષ્ટાચારી દેખાઇ આવે છે આ સંસ્થાનો રજિસ્ટ્રેશન રદ કરવામાં આવે તેવી અને તેના આવા કામમાં સાથ આપનાર જવાબદાર પોલીસ કર્મચારી અને બોગસ ગ્રાહક તરીકે ભાગ ભજવનાર તેની ટોળકીના સભ્યો પણ કાયદાકીય પગલા લેવા અંતમાં માંગ કરી હતી આવેદન પત્ર આપવામાં ગોંડલના કર્મકાંડી બ્રાહ્મણ પરિવારો જોડાયા હતા.