જસદણના આંબરડીમાં ભાજપ પ્રભારી-પરિવાર ઉપર હુમલાની ઘટનામાં ૩૦ની ધરપકડ
(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ર૦ :.. જસદણના આંબરડી ગામે જીવનશાળા સ્કુલનાં સંચાલક અને વિંછીયા તાલુકા ભાજપના પ્રભારી પરીવાર પર થયેલા હિચકારા હુમલામાં સામેલ ૩૦ આરોપીની જસદણ પોલીસે ધરપકડ કરી છે.
સૌરાષ્ટ્રના કોળી સમાજમાં ભારે ચર્ચાસ્પદ બનેલા આ હુમલામાં આંબરડી જીવનશાળાના સંચાલક ખોડાભાઇ ખસીયા અને તેમના પરિવારની મહિલા સભ્યો તેમજ શાળાના કર્મચારી ઉપર ગઢડા તાલુકાના અને આંબરડીની બાજુમાં આવેલ લીંબાળી ગામનાં ૩૦ થી ૪૦ લોકોનાં ટોળા દ્વારા ભારે તોડફોડ સાથે માર મારવામાં આવ્યો હતો.
ગઇકાલે જયંતિ પોપટ ઝાપડીયા ઉ. વર્ષ ૪ર, શૈલેષ ગટુર ઝાપડીયા ઉઉ વર્ષ ર૩, પ્રવિણ બચુ ઝાપડીયા ઉ. વર્ષ ૩૮, લાલજી રાઘવ ઝાપડીયા ઉ. વર્ષ પ૦, અશ્વિન રાઘવ ચૌહાણ ઉ. વર્ષ ૩પ બધા જાતે કોળી સહિત ૩૦ આરોપીની ગઇકાલે કોરોના ટેસ્ટ બાદ ધરપકડ કરવામાં આવી હતી. આજે બધાને કોર્ટમાં રજુ કરવામાં આવશે તેવું જસદણ પોલિસે જણાવ્યું હતું.
આ બનાવમાં બંને પક્ષો કોળી સમાજનાં હોય કોળી સમાજમાં ભારે ચર્ચા જગાવી છે.જસદણ પોલિસે આરોપીની ધરપકડ કરવામાં સમય લગાડતાં એસ.પી. સુધી રજાુઆતો કરવામાં આવી હતી.
આ બનાવની વધુ તપાસ જસદણ પી.આઇ. જોષી ચલાવી રહ્યા છે.