ઉનાના વાવરડામાં શોર્ટ સરકીટથી મકાનમાં આગ ભભૂકીઃ ૮પ હજાર રોકડા તથા ઘરવખરી બળી ગઇ
(નવીન જોષી દ્વારા) ઉના તા. ર૦: તાલુકાનાં વાવરડા ગામે મકાનમાં ઇલેકટ્રીક શોર્ટ સરકીટ થતાં રોકડા રૂપિયા ૮પ હજાર ત્થા ઘરવખરી બળી જતા નુકશાની થતાં બાવા પરિવાર નોંધારો બન્યો છે.
ઉનાથી ૭ કિ.મી. દુર વાવરડા ગામે રહેતા બાવાજી મેહુલગીરી વિનોદગીરી ગૌસ્વામીનાં કારા નળીયાવાળા મકાનમાં પરિવાર સાથે રહે છે. તેમના ઘરની ઓસરીમાં ઇલેકટ્રીક મીટરમાં શોર્ટ સર્કિટ થતાં ઘરમાં આગ લાગી ગઇ હતી. ઘરમાં ધુમાડાના ગોટા ત્થા અગ્નીની જવાળા નીકળતા આજુબાજુના લોકો ત્થા મેહુલગીરી પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લેતા ઘરમાં રાખેલ રોકડા રૂપિયા ૮પ૦૦૦/- (પંચાસી હજાર) ત્થા ઘરવખરી ગાદલા-ગોદડા, કપડા અને ફર્નિચર બળી જતા મોટી નુકશાની ગઇ છે.
તેની મરણ મુડી પણ આગમાં બળી જતાં ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. ઇલેકટ્રીક વાયરીંગનું ફીટીંગ કામ કરે છે. તેમનો નાનો ભાઇ સુરત હીરા ઘસે છે અને ભાઇને મકાન ખરીદવા રોકડા રૂપિયા લાવેલ હોય બળી ગયા હતાં.