સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th November 2019

જૂનાગઢમાં રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા સ્નેહમિલન રેડીયો વિતરણ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ તા.૨૦ : વંથલી રોડ પર વાડલા ફાટક પાસે આવેલ રાષ્ટ્રીય અંધજન મંડળ ખાતે સંસ્થાના કારોબારી સભ્યો, સામાન્ય સભ્યો, સંસ્થાના પ્રજ્ઞાચક્ષુ વૃધ્ધાશ્રમના અંતેવાસીઓ, સંસ્થાના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ, વિશિષ્ટ ીશક્ષકો તેમજ સંસ્થાના હિતેચ્છુઓ માટે એક અનોખા સ્નેહમિલનનું આયોજન કરાયેલ. જેમાં બધાએ હળી મળીને અનેરો આનંદ કરેલ.

આ પ્રસંગે દાતા દુર્લભજીભાઇ દયાલભાઇ દગડા તથા સોની પરિવાર તરફથી હરીતમભાઇ તથા રીતેશભાઇ સોનીના હસ્તે સંસ્થાના પ્રજ્ઞાચક્ષુ વૃધ્ધાશ્રમના અંતેવાસીઓને ૩૦ રેડીયોનું વિતરણ કરવામાં આવેલ. આ ઉપરાંત અંધજનોના મનોરંજન માટે મનોરંજન કલબની સ્થાપના કરાઇ. જે અંધજનોના જીવનમાં અતિ આવશ્યક પરિબળ છે. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ બળદેવસિંહ સરવૈયા, મંત્રી પુરૂષોતમભાઇ અકબરી, સહમંત્રી અમિતભાઇ વાઢેર, ખજાનચી આશિષભાઇ માંકડ તેમજ સંસ્થાના પૂર્વ પ્રમુખ અને દાતા ગોપાલભાઇ શાહે ખૂબ જ જહેમત ઉઠાવી પ્રેરણાદાયી રીતે ઉપસ્થિત રહેલ. સંસ્થા અંધજનોના શિક્ષણ તાલીમ પુનર્વશન અને આશ્રય માટે છેલ્લા ૩૯ વર્ષથી સતત કામ કરે છે.

(12:13 pm IST)