સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th November 2019

ધોરાજી સ્વામિનારાયણ મંદિરનો પાટોત્સવ ધામધૂમે ઉજવાયો

ધોરાજી તા.૨૦ : ધોરાજી સ્વામિનારાયણ મંદિરનો તૃતિય પાટોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો. સવારે જૂનાગઢ મંદિરથી પધારેલા સંતો પૂ.કલ્યાણમુર્તિદાસ સ્વામી તથા પૂ.સેવામુર્તિદાસ સ્વામીની હાજરીમાં મહાપુજાનુ આયોજન થયેલ તેમાં ૨૦૦ હરિભકતોએ મહાપુજાનો લાભ લીધો હતો.

બપોરે ભવ્ય અન્નકુટનું આયોજન કરેલ તેમાં ધોરાજીના હરિભકતો તથા ધોરાજીની ધર્મપ્રેમી જનતા ૧૫૦૦ થી ૨૦૦૦ હજાર વ્યકિતઓએ વ્યકિતગત અન્નકુટના દર્શન કર્યા હતા.

સાંજે દિવ્ય પાટોત્સવ સભાનુ પણ અદભૂત આયોજન થયેલ તેમાં બીએપીએસ અક્ષર મંદિર ગોંડલથી સંસ્થાના સંત પૂ.વૈરાગ્યપ્રિય દાસ સ્વામી તથા પૂ.અમૃતતિલકદાસ સ્વામી ધોરાજી પાટોત્સવની સભામાં હાજરી આપીને હરિભકતોને કથાવાર્તાનું રસપાન કરાવ્યુ. ૧૦૦૦ થી ૧૨૦૦ હરિભકતોેએ કથા પુર્ણ થયા બાદ મહાપ્રસાદનો લાભ પ્રાપ્ત કરેલો.

(12:06 pm IST)