ખીરસરા પાસે ટાયર ફાટતા બાઇક પુલ સાથે અથડાતા મેટોડાના રાજુભાઇ ભીલનું મોત
તસ્વીરમાં અકસ્માત ગ્રસ્ત બાઇક અને ભીલ યુવાનનો મૃતદેહ નજરે પડે છે (તસ્વીરઃ બી.એમ.ગોસાઇ ખીરસરા)
ખીરસરા તા.૨૦: રાજકોટની ભાગોળે ખીરસરા નજીક ટાયર ફાટતા બાઇક પુલ સાથે અથડાતા ચાલાક મેટોડાના ભીલયુવાનનું મોત નીપજ્યું હતું.
મળતી વિગતો મુજબ ખીરસરા ગામ પાસે આવેલ રાજકોટ કાલાવડ રોડ ઉપર સવારે તળાવના પુલ પાસે લાશ પડી હતી વાલીઓ આવતા મૃત્યુ પામેલા વ્યકિતનું નામ રાજુભાઇ દિનેશભાઇ મેં (ભીલ) હોવાનું ખુલ્યું હતું તેઓ રાજકોટ શિવપરા બે રૈયા રોડ ભગવતી હોલ પાછળ રહે છે અને હાલ તેઓ મેટોડા ગામ સરકારી સ્કુલ પાસે બનેલ સોસાયટીમાં થોડા જિવસો પહેલા રહેવા આવેલ છે તેમને સંતાનમાં એક પુત્રી એક પુત્રી હોવાનું જાણવા મળેલ છે.
દરમિયાન બનાવની જાણ થતા મેટોડાના એએસઆઇ હરદીપસિંહ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતકની લાશને પી.એ.માટે લોધીકા હોસ્પીટલમાં ખસેડી હતી.
પોલીસના જણાવ્યા મુજબ બાઇકનું ટાયર ફાટતા બાઇક બેઠાપુલની દિવાલ સાથે અથડાતા ચાલાક ભીલ યુવાનનું મોત નીપજ્યું હતું.