સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 20th October 2019

જામનગરમાં ડેન્ગ્યુએ હાહાકાર મચાવ્યો : એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 103 પોઝિટિવ કેસ નોંધાયા:લોકોમાં ભયનો માહોલ

24 લોકોને સારવાર પૂર્ણ થતા રજા અપાઈ : શહેરમાં રોગચાળાની દહેશત

જામનગરમાં ડેન્ગ્યુએ હાહાકાર મચાવ્યો છે અને ફરીવાર  રેકોર્ડ બ્રેક કર્યો છે.જામનગરમાં  આજના દિવસમાં 103 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 24 લોકોને સારવાર પૂર્ણ થતા રજા આપવામાં આવી છે. આરોગ્ય તંત્રની સતત અને સખત મહેનત બાદ પણ રોગચાળા પર નિયંત્રણ મેળવવુ મુશ્કેલ બની રહ્યું છે. રોગચાળાની દહેશતથી જામનગરના લોકોમાં ભયનો માહોલ છવાયો છે

(9:52 pm IST)