સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th October 2018

કાલે દ્વારકામાં ઝાખરીયા પરિવાર દ્વારા શ્રી રાંદલ માતાજીના ૧૦૮ લોટા તેડાશે

 દ્વારકા તા.ર૦: શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી ઇશ્વરભાઇ ઝાખરીયા તેમજ પરિવાર દ્વારા કાલે તા.ર૧ને રવિવારે શ્રી રાંદલ માતાજીના ૧૦૮ લોટાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પૂજન વિધિ તેમના આદિત્ય રોડ ખાતેના નિવાસ સ્થાને સવારે ૭ થી ૧૦ વાગ્યા સુધી કરવામાં આવશે. રાંદલ માતાજીના છપ્પનભોગ મનોરથના દર્શન સાંજે પ-૦૦ કલાકે યોજવામાં આવશે. આ તમામ ધાર્મિક આયોજનોમાં સ્વજનો તથા સ્નેહીજનો ઉપસ્થિત રહી રાંદલ માતાજીના પૂજન-દર્શનનો લાભ લેશે. બપોરે ૧૧ થી ૧ દરમ્યાન કુમારિકા ભોજન યોજયા બાદ આમંત્રિત મહેમાનો માટે ભોજન પ્રસાદીનું આયોજન કરેલ છે. તેમજ રાત્રિના ૧૦ કલાકે ભજન સંધ્યાનું પણ આયોજન કરાયું છે. (૧૧.૪)

(11:55 am IST)