સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th October 2018

કાલે ભાવનગરમાં ક્ષત્રિય નારી રત્નોનું સન્માનઃ પુસ્તક વિમોચન-એવોર્ડ સમારંભ

શંકરસિંહ વાઘેલાના હસ્તે એવોર્ડ અપાશે

ભાવનગર તા.૨૦: નિલમ બાગ પેલેસ ખાતે તા. ૨૧ રવિવારે બપોરે ૨ કલાકે ગુજરાતમાંથી ૧૧૦ ક્ષત્રિય બહોનોની માહિતી સભર પુસ્તક 'ક્ષત્રિય નારી રત્નો' પુસ્તકનું વિમોચન અને એવોર્ડ ગુજરાતના માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના હસ્તે અપાશે. ભારતીય સંસ્કૃતિમાં હંમેશા નારીનું યોગદાન રહયું છે. એમા પણ ક્ષત્રિય નારીઓનું મહત્વનું યોગદાન આપણે ઇતિહાસમાં જોઇએ છીએ. આવા ગુજરાતના ૨૦ થી વધારે શહેરના ૧૧૦ મહિલાઓને સન્માનવામાં આવશે. આ પ્રસંગે ગીતાબા જાડેજા, ધારાસભ્ય ગોંડલ, ગાયત્રીબા વાઘેલા-પ્રમુખ શ્રી ગુજ.પ્રદેશ મહિલા કોંગ્રેસ, રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા-પ્રમુખ રાજપૂત મહિલા સંગઠન જામનગર, એકતાબા સોઢા-સીઇઓ કેડમસ સોઢા સ્કૂલ, વાસુદેવસિંહ ગોહિલ-પ્રમુખ ગોહિલવાડ રાજપૂત સમાજ, રાજેન્દ્રસિંહ રાણા-પુર્વ સાંસદ, સતુભા ગોહિલ-પ્રમુખ, માજીરાજબા વિધવા સહાય, પરબતસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, હાર્દિકસિંહ ગોહિલ, મહેન્દ્રસિંહ રાઓલ, વનરાજસિંહ ગોહિલ, ભરતસિંહ ગોહિલ, રાજ શેખાવત, મહાવિરસિંહ ચુડાસમા, મનુભા જાડેજા, અજીતસિંહ વાજા વગેરે હાજર રહેશે. આ પ્રસંગે ૩ વિશિષ્ટ નારી રત્નોનું સન્માન કરવામાં આવશે. જેમાં કચ્છના ચેતનાબા જાડેજા, વડોદરાના દશરથબા પરમાર, અમદાવાદના ગીતાબા વાઘેલાનું સન્માન થશે.

આ સન્માનમાં સુરેન્દ્રનગરના દુધરેજના અને હાલ જામનગર રહેતા એક જ પરિવાર સગા ૪ બહેનોનું સન્માન થશે. ૪ માંથી ૩ પોલીસ ઓફિસર અને ૧ ક્રિકેટના કોચ છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નારી રત્નો ટીમ વતી તૃપ્તીબા રાઓલ, ડો. અજયસિંહ જાડેજા,જયરાજસિંહ જાડેજા, રીવાબા જાડેજા, હિનાબા જાડેજા, નિલમબા ઝાલા, પૂર્ણાબા જાડેજા અને બિન્કલબા ગોહિલ જહેમત ઉઠાવી રહયા છે.(૧.૭)

(11:54 am IST)