સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th October 2018

માળીયા મિંયાણાના મેઘપર ગામે ગૌશાળાના લાભાર્થે નાટકમાં પૈસાનો વરસાદ

 માળીયા મિંયાણા તા. ૨૦ : માળીયા મિયાણાના મેઘપર ગામે ગોશાળાના લાભાર્થે હરપાલ દે મકવાણા ભવાઈ નાટકમા જીવદયા પ્રેમીઓ દ્વારા પૈસાનો વરસાદ વરસાવ્યો હતો મેઘપર ગામે ગોશાળાના લાભાર્થે ભવાઈ નાટકમા એક રાતમા બે લાખનો ફાળો એકત્ર કરવામા આવ્યો હતો.

મોરબી જીલ્લાના માળીયા મિંયાણા તાલુકાનુ મેઘપર ગામ એટલે હિન્દુ મુસ્લીમ એકતાનુ પ્રતિક આખુ ગામ હિન્દુની વસ્તી ધરાવતુ હોવા છતા ગામમા સુલતાનપીરની દરગાહે આહીર સમાજ દ્વારા દરરોજ સેવા પુજા કરવામા આવે છે અને તમામ પરીવારો ખુબજ આશ્થાથી શ્રધ્ધા સાથે સુલતાનપીરની દરગાહે નિવેદ ધરાય છે. મન્નતો રાખવામા આવે છે તેમજ આહિર સમાજના યુવકોના લગ્ન બાદ પ્રથમ છેડાછેડી સુલતિનપીરની દરગાહે છોડવામા આવે છેઙ્ગ મેઘપર ગામ ત્રણ હજારની વસ્તી ધરાવતુ નાનુ એવુ ગામ હીન્દુ મુસ્લીમ એકતાનુ મિશાલ સમાન છે.

ત્યારે સુલતાનપીર ગૌમાતાઓ ની ખુબજ સેવા કરતા હોવાનુ અને પુર હોનારત ભુકંપ જેવી કુદરતી આપતિમા સુલતાનપીરના આશીર્વદથી ગામમા કયારેય પણ માલહાની કે જાનહાની થયેલ નહોવાથી ગ્રામજનોને અતુટ શ્રધ્ધા છે એટલે મેઘપર આહિર યુવક મંડળના યુવાનો દ્વારા આ દરગાહના પટાંગણમા ગૌશાળા બનાવી તેના માટે નવરાત્રીના આખરી ઓપમા યુવક મંડળ દ્વારા ગૌશાળાના લાભાર્થે હરપાલ દે મકવાણા એટલે (બાબરા ભુતની માયા) નામના ભવાઈ નાટકનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા જીવદયા પ્રેમીઓ એ પૈસાનો વરસાદ વરસાવ્યો હતો અને એકજ રાતમા ગાયોના ચારા માટે બે લાખ નવ હજાર રૂપિયાનો જંગી ફાળો એકત્ર કરવામા આવ્યો હતો. આ ભવાઈ નાટકમા મહંતશ્રી જગન્નાથબાપુ સાધુશ્રી પ્રભુદાસબાપુ અનેઙ્ગ કિશનદાશબાપુ ઉપસ્થિત રહયા હતા તેમજ મોરબી જિલ્લામાથી આહિર સમાજના લોકો ભવાઈ નાટક જોવા ઉમટી પડયા હતા. આ સેવાકીય પ્રવૃતીમા મેઘપર ગામ સમસ્ત અને આહિર યુવક મંડળે જહેમત ઉઠાવી હતી.(૨૧.૧૦)

(11:45 am IST)