ધુનડા સતપુરણધામ આશ્રમે આજે પુનમ નિમિતે પુ. જેન્તિરામબાપાનો સત્સંગ અને પુ.મુકતાનંદબાપુની ઉપસ્થિતિમાં શાસ્ત્રી ભાવેશભાઇ શીલુની શ્રધ્ધાંજલી
(વિનુભાઇ જોશી) જુનાગઢ તા.ર૦ : જામજોધપુર તાલુકાના ધુનડા સતપુરણધામ આશ્રમ ખાતે આજે રાત્રે ૯ કલાકે પુનમ નિમિતે પુ. જેન્તીરામબાપાના સત્સંગનો કાર્યક્રમ યોજાનાર છે. તેમજ પુ.બાપાના જયેઊઠ પુત્ર ભાવેશભાઇ શીલુ ગત તા.ર૦ મે ના રોજ બ્રહ્મલીન થતા તેમની ચોથી માસિક પુણ્યતિથી નિમિતેઅખિલ ભારત સાધુ સમાજના પુ. મુકતાનંદબાપુની ઉપસ્થિતિમાં ભાવેશભાઇ શીલુને શ્રધ્ધાંજલી આપવામાં આવશે અને ભાવેશભાઇએ પોતાના સરળ સ્વભાવ અને સંતોના પ્રેમી અને સૌના લાડલા અને લોકપ્રિય કે જેઓ હજુ આપણી વચ્ચે નથી તેવું આપણે માનવ મજબુર બન્યા છીએ. માત્ર ૪૦ વર્ષથીઉમરે ખુબ મોટુનામ અને પોતાના સેવાભાવ કર્મોથી જગતમાં ખુબ સારી સુવાસ ફેલાવનાર ભાવેશભાઇને આજે પણ સાધુ સંતો અને સતપરિવાર ખુબ જ યાદ કરે છે.
આજે રાત્રે યોજાનાર સત્સંગ સભા અને ભાવેશભાઇનો શ્રધ્ધાંજલી આપવા ઉપસ્થિત રહેનાર પુ.મુકતાનંદબાપુએ જણાવ્યું હતું કે ધુનડા પુ. જેન્તીરામબાપાને સાંત્વના આપવા અને ભાવેશભાઇને શ્રધ્ધાંજલી આપવા મન કેદીનું વળગ્યુ હતુ અને આજે ધુનડા આવવાનું થયુ ત્યારે એ દિવ્ય ચેતનાને ગુરૂચરણમાં સ્થાન મળેએવી ભગવાનને પ્રાર્થના કરૂ છુ.