સુરેન્દ્રનગર : આંબેડકર ચોક ખાતે નવી પોલીસચોકીનું લોકાર્પણ
(ફારૂક ચૌહાણ દ્વારા) વઢવાણ : સુરેન્દ્રનગરમાં ડો.આંબેડકર ચોકની નવી પોલીસ ચોકીનું લોકાર્પણ જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડીયાના હસ્તે કરાયુ હતુ. જે આંબેડકર ચોક માં આવેલી પોલીસ ચોકી અત્યંત જર્જરિત હાલતમાં બની ચૂકી હતી તે બાબતે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્રકુમાર ને આ બાબતની જાણકારી થતા તાત્કાલિક કોણે આ પોલીસ ચોકી જમીનદોસ્ત કરી અને નવનિર્માણનું કામ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે સતત બે માસ સુધી આ કામ ચાલ્યું હતું. તેમના હસ્તે પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ એસ બી સોલંકી અને તેમનો સ્ટાફ પણ આ લોકાર્પણ સમય દરમિયાન ઉપસ્થિત રહ્યો હતો અને નવનિર્માણ પોલીસ ચોકી નું લોકાર્પણ કરતા સમયે બી ડિવિઝન પોલીસ મથકના પી.એસ.આઇ દ્વારા જિલ્લા પોલીસ વડા નો આભાર પણ વ્યકત કરવામાં આવ્યો હતો.