સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th September 2018

ગીર ગઢડા તાલુકાના ખેડૂતોએ વીજ કચેરીને કરી તાળાબંધી

વીજધાંધિયાથી પરેશાન ખેડૂતોએ રજૂઆતો-આવેદન પાઠવ્યા છતાં ઉકેલ નહીં આવતા રોષે ભરાયા

ગીર ગઢડા તાલુકાના ખેડૂતોએ PGVCL ઓફિસનો ઘેરાવો કર્યો હતો અને કચેરીને તાળાબંધી કરી હતી.ખેડૂતોને વાડી વિસ્તારમાં વીજ પુરવઠાના ધાંધિયાથી કંટાળીને અનેકવાર રજૂઆતો કરી હતી. અને થોડા દિવસ પહેલા આવેદન પણ પાઠવ્યું હતુ.તેમ છતાં કોઈ નિકાલ ન આવતા ધોકડવા PGVCL પેટા વિભાગીય કચેરી ખાતે ખેડૂતો દ્વારા ઘેરાવો કરવામા આવ્યો હતો. અને તાળાબંધી કરી હતી

 . PGVCL ના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ખરાબ વર્તન અને ખોટા દંડ જેવી બાબતોને લઈને અનેક રજુઆતો કરવા છતા પરિણામ શૂન્ય આવ્યું હતુ. જેથી ખેડૂતોમાં રોષ ભરાયો હતો. અને ઘેરો ઘાલવાનું હથિયાર અપનાવ્યું હતુ.

(12:15 am IST)