સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th September 2018

ભાવનગરનાં કોળીયાકના દરિયામાં ગણેશ વિસર્જન સમયે ડૂબી જવાથી યુવકનું મોત

 ભાવનગર તા. ર૦ :.. ભાવનગરનાં કોળીયાકનાં દરિયામાં ગણપતિજીની પ્રતિમાનું વિસર્જન કરવા ગયેલા શહેરનાં ખેડૂતવાસ વિસ્‍તારમાં હનુમાન મંદિર પાસે રહેતા બાબુભાઇ ગોરધનભાઇ કોળી ઉ.૪પ નું દરિયાનાં પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નિપજયુ હતું. આ બનાવે ગમગીની ફેલાવી દીધી હતી.

બોરતળાવમાંથી મૃતદેહ મળી આવ્‍યો

ભાવનગર શહેરનાં બોરતળાવ (ગૌરીશંકર સરોવર) માં પાણીના પાળા નજીક એક યુવાનનો મૃતદેહ મળી આવતાં ડી. ડીવીઝન પોલીસ દોડી ગઇ હતી. ફાયર બ્રીગેડનાં સ્‍ટાફે પાણીમાંથી મૃતદેહ ને બહાર કાઢી પી. એમ. માટે હોસ્‍પીટલ મોકલી આપેલ. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

 

(11:24 am IST)