News of Thursday, 20th September 2018
પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા આયોજિત પ્રાગટય મહોત્સવને અનુલક્ષી ટ્રાફિક નિયમન માટે જાહેરનામુ
પોરબંદર તા.૨૦ : પોરબંદર ખાતે તા. ૨૦ નાં રોજ શ્રી સમસ્ત ખારવા સમાજ દ્વારા રામદેવજી મહાપ્રભુનો પ્રાગટ્ય ઉત્સવ યોજાનાર છે. આ પ્રસંગે બહોળી સંખ્યામાં ઉપસ્થિત થનાર જનસમુદાય તથા મુખ્યમંત્રીના કાર્યક્રમ સંદર્ભે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મહેશ જોષીએ ટ્રાફીક નીયમન માટે જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે.
આ જાહેરનામા મુજબ તા.૨૦ના રોજ સાંજના ૫ કલાકથી રાત્રીના ૯ કલાક સુધી રિલાયન્સ ફુવારાથી ઓશિયોનિક હોટલ સામે આવેલ ત્રણ રસ્તા સુધી રસ્તો તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે. આ જાહેરનામું વી.વી.આઇ.પી. કોન્વે, તેમજ સરકારી/અર્ધ સરકારી વાહનોને તેમજ બીમાર અશક્ત/અપંગ માણસોને લઇ જતા વાહનોને લાગુ પડશે નહી તેમ યાદીમાં જણાવાયું છે.
(10:56 am IST)