News of Thursday, 20th September 2018
ગીર ગઢડાના પાણખાણમાં શાળામાં ધોરણ-1થી 8માં માત્ર ત્રણ શિક્ષકોના સહારે 172 વિદ્યાર્થીઓની ભવિષ્ય
ગીર ગઢડાના 1800ની વસ્તી ધરાવતા પાણખાણ ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ છે. આ શાળામાં ધોરણ 1થી 8માં 172 બાળકો અભ્યાસ કરે છે.માત્ર 3 શિક્ષકોના સહારે અહીં 172 બાળકોનું ભવિષ્ય ઘડાઇ રહ્યું છે.
અહીં બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. કારણકે આ શાળામાં ઓરડાની ઘટ છે. જે ઓરડામાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે તે પણ ખૂબજ જર્જરીત હાલતમાં હોવાથી વિદ્યાર્થીઓ માટે જોખમ તોળાઇ રહ્યું છે. ગ્રામજનો અને શિક્ષકો દ્વારા આ અંગે અનેક રજૂઆતો કરવામાં આવી છે
(11:24 pm IST)