સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th August 2019

અમરેલીના રાજુલા પંથકમાં ધોધમાર બે ઇંચ વરસાદ :અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા

તંત્ર દ્વારા પાણીનો નિકાલ નહિ કરાતા સ્થાનિકોમાં રોષ

અમરેલીનાં રાજુલા પંથકમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળે પાણી ભરાયા છે. રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરમાં બે ઈંચ વરસાદ પડતા ગોકુળનગર સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા.  જોકે કલાકો વીત્યા છતા નગરપાલિકા તંત્ર દ્વારા પાણીનો નિકાલ નહિ કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. ગંદા પાણીના ભરાવાથી રોગચાળો ફાટી નીકળવાનો ભય છે.

(10:27 pm IST)