સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th August 2019

પૂ. જીવરાજબાપુનો દેહવિલય થતા વિસાવદર શોકમય બંધ

વિસાવદર, તા. ર૦ : પૂ. આપાગીગાની જગ્યાના પૂ. જીવરાજબાપુનો દેહવિલય થતા આજે વિસાવદર શોકમય રીતે બંધ રહ્યું છે.

પૂ.જીવરાજરાજબાપુનો દેહવિલય થતા વિસાવદર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ઘેરો શોક છવાયો છે.

ગઇકાલે રાત્રે સતાધાર મહંત પૂ. જીવરાજ બાપુનો દેહવિલય થતા ચેમ્બર ઓફ કોમર્સ-વિશ્વ હિંદુ પરિષદ-બજરંગ દળના એલાન અનુસાર સમગ્ર વિસાવદર શહેરની બજારો સજ્જડ બંધ છે. અને શોકમય બંધ પળાઇ રહ્યો છે.

(11:50 am IST)