સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th August 2019

ભાવનગરમાં વિભાવરીબેન દવે પ્રેરીત જન્માષ્ટમી મેળાનો શુક્રવારથી પ્રારંભ

ભાવનગર તા.૨૦ : ભાવનગરના જવાહર મેદાન ખાતે ધારાસભ્ય વિભાવરીબેન દવે પ્રેરીત જન્માષ્ટમી મેળાનુ આગામી તા.૨૩ થી રપ ઓગષ્ટ દરમિયાન આયોજન કરેલ છે.

જન્માષ્ટમી મેળા અંગે સરકીટ હાઉસ ખાતે યોજવામાં આવેલ પત્રકાર પરિષદમાં વિભાવરીબેન દવે, મેયર મનહરભાઇ મોરી, શહેર ભાજપ પ્રમુખ સનતભાઇ મોદી, ભરતસિંહ ગોહિલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રાજયમંત્રી અને ધારાસભ્ય વિભાવરીબેન દવેએ જન્માષ્ટમી મેળા અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

સાતમ આઠમ અને નોમ ૩ દિવસ ચાલનાર આ મેળામાં બાળકો માટે વિવિધ રાઇડસ, સ્ટોલ ઉપરાંત ત્રણેય દિવસ ગુજરાતના ખ્યાતનામ કલાકારો લોકડાયરો અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાનાર છે. તહેવારોની રજામાં મેળાની મજા માણવા આયોજકો દ્વારા જાહેર નિમંત્રણ પાઠવાયુ છે.

(11:46 am IST)