સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th July 2021

ધ્રાંગધ્રાના નારીચાણામાં ૩ શખ્સોએ ઢોરમાર મારતા દશરથ ઠાકોરનું મોત

અજાણ્યા શખ્સોને શોધવા પોલીસની દોડધામ : ઠાકોર સમાજમાં ભારે રોષ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૦ : સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામ ખાતે ત્રણ શખ્સોએ યુવાનને ઢોર માર મારતા સારવાર દરમિયાન ઠાકોર સમાજના યુવાનનું મોત થતાં અરેરાટી વ્યાપી છે.

ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામ ખાતે દશરથભાઇ કાળુભાઇ ઠાકોરને ત્રણ અજાણ્યા શખ્સોએ ઢોર માર મારતા સારવાર દરમિયાન તેનું હોસ્પિટલમાં મોત નિપજતા તાત્કાલિક અસરે ધ્રાંગધ્રા પોલીસ નારીચાણા ગામ ખાતે પહોંચી અને તપાસ હાથ ધરી રહી છે તેવું હાલમાં જાણવા મળી રહ્યું છે.

(3:09 pm IST)