દેવભુમી દ્વારકા જીલ્લાના વાડિનાર મરીન પોલીસ સ્ટેશનમાં પોલીસ લાઇનમાં વૃક્ષારોપણ
ખંભાળિયા : દેવભુમી દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક સુનિલ જોષીની રાહબરી હેઠળ વાડીનાર મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એન. ઠાકરીયા દ્વારા પોલીસ લાઇનના કેમ્પસમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જે કાર્યક્રમ દરમિયાન કરવામાં આવેલ વૃક્ષારોપણના છોડ સી.આઇ.એસ.એફ. દ્વારા પુરા પાડવામાં આવેલ આ તકે વૃક્ષારોપણ કરવા માટે દેવભુમી દ્વારકાના નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.એચ.સારડા તથા કોસ્ટગાર્ડ વાડીનાર સ્ટેશનના કમાન્ડીંગ ઓફિસરશ્રી એમ.એમ.માર્ક તથા સી.આઇ.એસ.એફ.ના ઓફિસર વિનોથબાબુ તથા આઇ.ઓ.સી.એલ. ના અધિકારીશ્રી તેમજ વાડીનાર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ સી.આઇ.એસ.એફ.ના કર્મચારીઓ તથા એસ.આર.ડી. જી.આર.ડી હોમગાર્ડના સભ્યો હાજર રહી ઉત્સાહ પુર્વક વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લઇને આ વૃક્ષારોપણમાં સીતાફળ, જાંબુ, પીપળો, આમળા, જામફળ જેવા ૭૦ જેટલા વૃક્ષો વાવેલ અને વૃક્ષોનું ઓછામાં ઓછા એક વર્ષ સુધી જતન કરવા તેમજ વાવેલ તમામ વૃક્ષોને ઉછેરવા અંગેની જવાબદારી લેવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. (તસ્વીર : અહેવાલ - કૌશલ સવજાણી - ખંભાળિયા)