સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th July 2019

ભાવનગર-ધ્રાંગધ્રા ટ્રેનને કચ્છ સુધી લંબાવવા સુરેન્દ્રનગરના સાંસદ ડો. મુંજપરાની રજૂઆત લોકસભામાં

વઢવાણ, તા.૨૦: સુરેન્દ્રનગરનાં સાંસદ સભ્ય શ્રી ડોકટર મહેન્દ્રભાઇ મુંજપરા સાહેબ લોકસભામાં ભાવનગરથી ધ્રાંગધ્રાની ટ્રેનને કચ્છ-ભુજ સુધી લંબાવવા માટેની રજૂઆત કરી હતી.

લોકોને સુખાકારી માટે એક જ ટ્રેનમાં ભાવનગરથી ભુજ સુધી પેસેન્જર પહોંચી શકે તે માટે રજુઆત લોક સભામાં કરવામાં આવી છે.

સુરેન્દ્રનગરનાં સાંસદ સભ્ય શ્રી ડોકટર મહેન્દ્રભાઇ મુંજપરા દ્વારા લોકસભામા શૂન્યકાળ દરમિયાન જણાવ્યું હતું કે, જો આ ટ્રેનને લંબાવવામાં આવશે તો ભાવનગર, સુરેન્દ્રનગર અને કચ્છ ત્રણ જિલ્લાના લોકોને લાભ થશે.

તેમ જ કંડલા અને મુંદ્રા પોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા હજારો લોકોને આ ટ્રેન લંબાવવાને કારણે લાભ મળશે.

(1:20 pm IST)