સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th July 2018

સુરેન્દ્રનગર પીજીવીસીએલ સામે ઉપવાસ આંદોલન

વઢવાણઃ વઢવાણ તાલુકાના વેળાવદર ગામે પીજીવીસીએલ ગ્રામ્ય વિભાગની કચેરીએ ખેતી વિષયક જોડાણ આપ્યા બાદ તા.૮-૬-૧૮ના રોજ ગ્રાહક ગણેશભાઇ ઠાકરશીભાઇ કણઝારીયાને રૂ.૧,૮૦,૬૩રનું વિજ ચોરીનું બિલ ફટકારતા નાના એવા શ્રમિક મુશ્કેલીમાં મુકાયા છે. ગણેશભાઇએ આ અંગે જણાવ્યું છે કે સ્થળ પર અધિકારીઓ ચેકીંગમાં આવ્યા ત્યારે અમારૂ કનેકશન ચાલુ હતેુ અને કોઇ પાવર ચોરી કરેલ નથી. આ અંગે અમોએ જીઇબીના ઉચ્ચ અધિકારીઓને રૂબરૂ રજુઆત કરવા છતા પગલા ન લેવાતા ગણેશભાઇ સુરેન્દ્રનગર ખાતે ડેપ્યુટી કલેકટર કચેરીએ તા.૧૬મીથી પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે. પ્રતિક ઉપવાસના ૩ દિવસ બાદ કોઇ ઉકેલ આવેલ નથી. તસ્વીરમાં ઉપવાસ પર બેઠેલા ગણેશભાઇ નજરે પડે છે.

(11:53 am IST)