સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th June 2019

જૂનાગઢ નશાબંધી આબકારી કચેરી - ગાયત્રી શકિત પીઠના ઉપક્રમે યોગ દિવસની ઉજવણી થશે

જૂનાગઢ, તા.૨૧ : જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી થનાર છે.જૂનાગઢ નશાબંધી આબકારી કચેરી તથા ગાયત્રી શકિતપીઠ,ગીરનાર દરવાજા જૂનાગઢના સયુંકત ઉપક્રમે કાલે રોજ સવારે ૭ કલાકે ગાયત્રી શકિતપીઠ,મંદિર પટાંગણ,ગીરનાર રોડ જૂનાગઢ ખાતે યોજાશે.યોગ દિવસ નિમિતે  યોગાચાર્ય મેવાડાભાઈ,જીજ્ઞેશભાઈના માર્ગદર્શન હેઠળ યોગ વિશે પ્રાથમિક માહિતી આપવામાં આવશે. જૂનાગઢ નશાબંધી અને આબકારી કચેરી તરફથી વ્યસનમુકિત પ્રદર્શન, વ્યસનમુકિત પત્રિકા વિતરણ,વ્યસનથી થતા નુકસાન અંગેના પુસ્તકોનું વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા જૂનાગઢ નશાબંધી અને આબકારી કચેરી અધિક્ષક  બી.પી.જાડેજા તથા કચેરી સ્ટાફ, ગાયત્રી પરિવારના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી નાગભાઈ વાળા, ચંદ્રકાંતભાઈ જોષી, શીલુભાઈ,એલ સી ચુડાસમા, આર બી વ્યાસ  જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:07 pm IST)