ચોટીલામાં વિચરતી જાતિ સરાણીયા સમાજના ૨૫ પરિવારો મકાન વિહોણા
કલેકટર સમક્ષ પ્લોટની માંગણી
ચોટીલા, તા.૨૦: ચોટીલામાં વર્ષોથી રહેતા વિચારતી જાતિના સરાણીયા સમાજના ૨૫ જેટલા પરિવારો વસવાટ કરે છે જેઓ આજે પણ મકાન વિહોણા છે પ્લોટ અંગે માંગણી કરેલ છે પરંતુ આજ સુધી કાંઈ કાર્યવાહી નહીં થતા કલેકટરને દ્યટતું કરવા રજુઆત કરાઈ છે.
છેલ્લા ઘણા વર્ષોથી યાત્રાધામ ચોટીલામાં સરાણીયા સમાજના ૨૫ જેટલા પરિવારો વસવાટ કરે છે , મોટાભાગે આ પરિવાર હાઇવે ઉપર છરી ચાકા,કાતારની ધાર સજાવાનું કામ કરી ને પરિવારનું ગુજરાન ચલાવે છે.
ગરીબ પરિવારો છે જે શહેરના હાઇવે રોડને અડી ને ઝૂંપડા બાંધી ને વર્ષો થી રહે છે આવા પરિવારો ને સરકારની યોજનાનો લાભ મળે અને તેઓને મકાન બાંધવા પ્લોટ મળે તે માટે ફોર્મભરી દ્યણા સમય થી માંગ કરેલ છે સામાન્ય પરિવારોની ચોમાસાના દિવસોમાં ખૂબ કપરા પસાર કરવા પડે છે, ઉપર આભ અને ધરતીના સહારે રહેતા આવા લોકોને મકાન માટે વહેલી તકે જમીન ફાળવવામાં આવે તે માટે ચોટીલા પાલિકાના પૂર્વ ઉપ પ્રમુખ હરેશ ચૌહાણે કલેકટર ને રૂબરૂ મળી ઘટતું કરવા રજુઆત કરેલ છે.