News of Wednesday, 20th June 2018
પવનના જોરમાં વધારો
સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણ યથાવત
રાજકોટ, તા. ર૦ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે અને પવનના જોરમાં વધારો થયો છે.
આખો દિવસ ધૂપ-છાંવ સાથેનું વાતાવરણ અનુભવાય છે અને બફારાનો અહેસાસ થઇ રહ્યો છે.
જામનગર
જામનગર : શહેરનું તાપમાન ૩૬.પ મહત્તમ, ર૭.પ લઘુત્તમ, ૮૯ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૭.પ કિ.મી. પ્રતિ કલાક પવની ઝડપ રહી હતી.
(11:48 am IST)