જુનાગઢના નિવૃત પીએસઆઇ ઉપર ચાર શખ્સોનો ઇંટથી હુમલો
સ્વીમીંગ પુલમાં મહિલાઓની મસ્તી કરીને લુખ્ખાગીરી આચરી
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૦ : જુનાગઢના નિવૃત પીએસઆઇ ઉપર તેના વોટરપાર્ક ખાતે ચાર શખ્સોએ ઇંટ વડે હુમલો કરી લુખાગરી આચરી હોવાનું જાણવા મળેલ છ.
જુનાગઢમાં મીરાનગરમાં રહેતા નિવૃત પી.એસ.આઇ. જેન્તીભાઇ છગનભાઇ પોપલીયાનો ઓઝત વોટરપાર્ક અને રિસોર્ટ જુનાગઢ તાલુકાના આણંદપુર ગામ પાસે આવેલ છે.
ગઇકાલે વોટરપાર્કના સ્વીમીંગમાં ગ્રાહક મહિલાઓ આવેલ હતી ત્યારે બીલખાનો સંજર અલી ઉર્ફે સંજુ નામનો શખ્સ મહિલાઓની મસ્તી કરી પોત પ્રકાશ્યું હતું.
આથી મહિલા ગ્રાહકોએ જેન્તીભાઇ પોપલીયા સમક્ષ રજુઆત કરતા આથી તેઓ સંજર અલીને સમજાવતા હતા.
ત્યારે સંજર અલી સાથેના ત્રણ છોકરાઓએ ગાળો બોલવા શરૂ કરી દીધું હતું અને બાદમાં જેન્તીભાઇ ઉપર ઇંટ વડે હુમલો કરતા તેમને હાથની આંગળીઓમાં ગંભીર ઇજા પહોંચાડીને આ ઇસમો નાસી ગયા હતા.
આ અંગે જેન્તીભાઇ પોપલીયાએ ફરીયાદ કરતા તાલુકાના એએસઆઇ ડી.બી.ભીંટે તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે ઇજાગ્રસ્ત જેન્તીભાઇના પુત્ર જાગૃત પોપલીયાએ ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે હુમલાખોર શખ્સો વારંવાર વોટરપાર્ક ખાતે આવી ગ્રાહકોને હેરાન કરી લુખ્ખાગીરી આચરતા હતા ગુરૂવારે હુમલો કરતા પિતા જેન્તીભાઇને સારવાર માટે સીવીલમા ખસેડાયા છે.