સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th May 2022

ગોંડલ સ્ટેશન પ્લોટમાં ધમધમતા કુટણખાના પર પોલીસનો દરોડો : ચંદ્રીકા અને ચિરાગની ધરપકડ

કુટણખાનુ ચલાવતી ચંદ્રીકા અને ગ્રાહક પાસેથી ૧ હજાર લેતી'તી, યુવતીઓને ગ્રાહક દીઠ રૃા.૫૦૦ આપતી'તી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા )ગોંડલ,તા. ૨૦: શહેરના પોશ ગણાતા સ્ટેશન પ્લોટ વિસ્તારમાં છેલ્લા છ માસથી ધમધમી રહેલા કૂટણખાના ઉપર પોલીસે દરોડો પાડી દેહવિક્રયના ધંધામાં ધકેલાયેલી રાજકોટ અને કલકત્ત્।ાની બે યુવતીને મુકત કરાવી હતી તેમજ કુટણખાનું ચલાવતી મહિલા અને દલાલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના પોશ વિસ્તાર સ્ટેશન પ્લોટમાં કુટણખાનુ ધમધમી રહ્યું હોવાની બાતમી એ એચ ટી યુ શાખાને મળતા ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા ની સૂચના મુજબઙ્ગ પી.એસ.આઇ ટી એસ રીઝવી, કોન્સ્ટેબલ મનોજભાઇ બાયલ, પ્રફુલ્લભાઇ પરમાર, એલ.આર.ડી. મયુરભાઇ વીરડા તથા મહીલા એ.એસ.આઇ જયાબેન ધુધાભાઇ સોલંકીએ સ્ટેશન પ્લોટ શેરી નંબર ૪ ખાતે ચંદ્રિકા રમેશભાઈ ગોઢકિયા (મુળ. ગામ સાયલા, લાલજી બાપુની જગયા ની પાસે, તા. સાયલા જી. સુરેન્દ્રનગર)નાં ભાડાના મકાને ડમી ગ્રાહક મોકલી દરોડો પાડવામાં આવતા કુટણખાનું ઝડપાયું હતું જયાં રાજકોટ અને કલકત્ત્।ાની બે યુવતીઓને દેહવિક્રયના ધંધામાં ધકેલી દેવામાં આવી હોય બન્ને યુવતીઓને મુકત કરાવી ચંદ્રિકા અને દેહવિક્રયના ધંધાની દલાલી કામ કરતા ચિરાગ અશોકભાઈ ટાંક (રહે નાગડકા તા. ગોંડલ) વાળા ની ધરપકડ કરી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એકટ ૧૯૫૬ ની કલમ ૩,૪,૫,મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

દેહવિક્રયના ધંધા માટે ભાડે રાખવામાં આવેલ મકાન સચિન મનસુખભાઈ પીઠવાની માલિકીનું હોય પોલીસે તેની પણ  પૂછપરછ હાથ ધરી છે, સ્ટેશન પ્લોટની જે શેરીમાંથી કુટણખાનું ઝડપાયું ત્યાં પંદરસો - બે હજાર રૃપિયામાં પણ કોઈ મકાન ભાડે રાખતું નથી ત્યાં ઊંચા ભાવે આ મકાન ભાડે આપવામાં આવ્યું હોવાની પણ લોકોમાં ચર્ચા થવા લાગી હતી. દેહવિક્રયના ધંધામાંથી મુકત થયેલ યુવતીઓએ પોલીસ ને જણાવ્યું હતું કે ચંદ્રિકા એક ગ્રાહક પાસેથી ૧૦૦૦ રૃપિયા લેતી હતી અને બન્ને યુવતીઓને એક ગ્રાહક દીઠ માત્ર પાંચસો રૃપિયા આપતા હતી દિવસ દરમિયાન પાંચ થી સાત ગ્રાહકો રોજિંદા દલાલ ચિરાગ શોધી લાવતો હતો. સ્ટેશન પ્લોટ શહેર નો ભદ્ર વિસ્તાર ગણાય છે.ત્યારે છેલ્લા છ માસ થી કુટણખાનુ ધમધમતુ હતું. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:27 pm IST)