સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 20th May 2019

ભાવનગરના સરતાનપરમાં પ્રેમીપંખીડાનો આપઘાત

 ભાવનગર તા. ૨૦ : ભાવનગર જિલ્લાના તળાજાના સરતાનપર ગામે પ્રેમી પંખીડાએ ગળાફાંસો ખાઇ સજોડે આત્મહત્યા વહોરી લીધી હતી.

મળતી વિગતો મુજબ ભાવનગર જિલ્લાના સરતાનપર ગામે એક યુવાન અને એક યુવતીએ સજોડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા વહોરી લીધી હતી. બનાવની જાણ થતાં જ તળાજા પોલીસ સ્ટેશનના પી.આઇ. ગઢવી તથા સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસે પ્રેમી પંખીડાનાં મૃતદેહોને તળાજા સરકારી હોસ્પિટલમાં મોકલી આપી તપાસ હાથ ધરી છે.

મૃતક યુવાન તળાજાનાં ખારા વિસ્તારમાં રહેતો હતો. જ્યારે યુવતી મહુવાના ગુંદરણ ગામની હોવાનું અને બંને વચ્ચે પ્રેમ સબંધો હોવાનું પ્રાથમિ તપાસમાં જાણવા મળેલ છે.

(4:06 pm IST)