સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 20th May 2019

થરાદના માંગરોળ ગામના ખેડુતનો ઝાડ પર ગળે ફાંસો ખાઈ આપઘાત :ચકચાર

થરાદ : થરાદના માંગરોળ ગામના રગનાથભાઇ માધાભાઇ પટેલ નામના ૪૮ વર્ષીય ખેડુતે પોતાના જ ખેતરમાં લીમડાના ઝાડની ડાળી પર દોરડા વડે ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા કરી લીધી હતી.આ ચકચારી ઘટનાની જાણ થતાં બહોળી સંખ્યામાં ગ્રામજનો દોડી આવ્યા હતા.જ્યારે બનાવ અંગે પોલીસને જાણ કરાતાં પોલીસ પણ દોડી હતી.અને મૃતદેહને રેફરલ હોસ્પીટલમાં પી.એમ. અર્થે લઇ આવી હતી.અને પીએમ બાદ વાલીવારસોને સોંપવામાં આવ્યો હતો

  આધેડે કયા અગમ્ય કારણોસર આત્મહત્યા કરી કે બનાવ હત્યાનો છે. તેનું રહસ્ય અકબંધ રહેવા પામ્યું હતું. પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચવા પામી હતી.

(12:11 pm IST)