સોમનાથમાં વાંકાનેર-દિવ એસટી બસ વારંવાર મોડી આવે : યાત્રિકો પરેશાન
પ્રભાસપાટણ તા.૨૦ : વાંકાનેર એસટી બસ ઘણા સમયથી આ રૂટ ઉપર ચાલે છે. આ બસમાં આવવા વાળા મુસાફરો વારંવાર આવતા હોય છે તેમજ યાત્રાધામ સોમનાથ દર્શને પણ આ બસમાં યાત્રિકો આવે છે. આ બસનો વેરાવળ બસ સ્ટેશનમાં આવવાનો સમય ૪-૩૦ કલાકનો છે. પરંતુ વેરાવળ આવે છે પ થી ૫-૩૦ની વચ્ચે આમ એકાદ કલાક જેટલી મોડી આવે છે.
બસના રૂટમાં ફોરલાઇન હોવાની ટ્રાફીકની કોઇ સમસ્યા નથી છતા આ બસ વારંવાર મોડી આવે છે અને મુસાફરો પરેશાન થાય છે તેમજ સોમનાથ આવતા યાત્રિકો હેરાન થાય છે. પેસેન્જરો સ્થાનિક તંત્રને પુછે છે તો તે કહે છે કે અમારી જવાબદારી નથી. યાત્રિકો આકુળ વ્યાકુળ બને છે. બસના અનિયમિતતાનો પ્રશ્ન ઘણા સમયથી છે છતા ઉકેલ આવતો નથી તો આ બસ તેમના નકકી કરેલા સમય પ્રમાણે આવે તેવી યાત્રિકોની માંગણી છે.