સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 20th May 2019

અમરેલીના તરવડા ગામે શનિ-રવિ ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજનું મહાસંમેલન

દિવંગતોને લાઇફટાઇમ એવોર્ડથી અને જ્ઞાતિ શ્રેષ્ઠીઓનું સન્માનઃ રકતદાન કેમ્પ, યુવા પરિચય મેળો, હાસ્યરસ, સંતવાણી, પ્રવચનના કાર્યક્રમો

રાજકોટઃ તા.૨૦, અમરેલી જીલ્લાના તરવડા ગામે શ્રીઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજ (ભાવનગર ટ્રસ્ટ)નું જ્ઞાતિ મહાસંમેલન આગામી તા.૨૫-૨૬ મે બે દિવસનું આયોજન કરવામાં આવેલ છે. આ  સંમેલનની સાથે ગુજરાત રાજયનાં સુપ્રસિધ્ધ ભજનીક કલાકાર નિરંજનભાઇ પંડયા તેમજ મુકેશભાઇ જોષીની ટીમ સાથે ભજન- હસ્યનો રસ પીરસશે.

 

આ મહાસંમેલન તરવડા મુકામે આવેલ સ્વામીનારાયણ ગુરૂકુળના વિશાળ પટાંગણમાં અધ્યક્ષ સ્થાને જ્ઞાતિનાં પૂર્વ પ્રમુખ ભાનુભાઇ છગનલાલ જોષી સાથે સ્વામીનારાયણ ગુરૂકુળના મહંત સ્વામીજી કૃષ્ણ પ્રિયદાસજી તેમજ મુખ્ય અતિથિ તરીકે નિર્મળાબેન ગુણવંતરાય જોષી (ધારી) વાળા રહેશે.

 આ જ્ઞાતિ - સંસ્થાના સ્થાપક એવા સ્વ.શ્રી મનહરલાલભાઇ ત્રિવેદી અને અન્ય જ્ઞાતિના દિવંગતોને લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી નવાજાશે. ઉપરાંત શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજ જ્ઞાતિના કે જેઓ એ રાષ્ટ્રીકક્ષા એ ખ્યાતિ મેળવી હોય અને જ્ઞાતિનું ગૌરવ વધાર્યું હોય તેવા જ્ઞાતિશ્રેષ્ઠીઓને સન્માનીત કરાશે.

જ્ઞાતિ મહાસંમેલનની સાથે સાથે વિવિધ બ્લડ ડોનેશન કેમ્પ યુવક-યુવતીઓનો પરિચય મેળો પણ આ તકે યોજાશે.

 તા.૨૫ એટલે બે આગલા દિવસ મહેમાનોનું આગમન થશે. તેઓનું સ્વાગત થશે. રાત્રે સામાન્ય સભા રૂપે બેઠક અને ત્યારબાદ ભજન રૂપી સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. તરવડા ગામ સુધી પહોંચવા અમરેલીથી બસ સ્ટેશન ખાતેથી સવારે ૭:૧૫ વાગ્યે થી આખોદિવસ બસ મળશે. તેમ ઔદિચ્ય સહસ્ત્ર ચીભડીયા બ્રહ્મસમાજ (ભાવનગર ટ્રસ્ટ)ના પ્રમુખ જયેશભાઇ ઠકકરની યાદીમાં જણાવાયું છે. વધુ વિગતો માટે મો. ૯૯૨૪૪ ૧૩૯૪૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. (૪૦.૩)

(11:45 am IST)