સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th April 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : વધુ બે લોકોનો કોરોનાએ ભોડ લીધો : નવા 172 કેસ પોઝિટિવ : વધુ 101 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 99 કેસ ,જૂનાગઢ તાલુકામાં 8 કેસ,કેશોદમાં 18 કેસ, માણાવદરમાં 14 કેસ, માંગરોળમાં 8 કેસ, વિસાવદરમાં 7 કેસ,માળિયામાં 6 કેસ,વંથલીમાં 5 કેસ,મેંદરડામાં 4 કેસ, અને ભેસાણમાં 3 કેસ નોંધાયા

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે, આજે કોરોનાથી વધુ 2 લોકોના મોત થયા છે જયારે કોરોનાના નવા 172 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 101 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 172 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 99 કેસ ,જૂનાગઢ તાલુકામાં 8 કેસ,કેશોદમાં 18 કેસ, માણાવદરમાં 14 કેસ, માંગરોળમાં 8 કેસ, વિસાવદરમાં 7 કેસ,માળિયામાં 6 કેસ,વંથલીમાં 5 કેસ,મેંદરડામાં 4 કેસ, અને ભેસાણમાં 3 કેસ નોંધાયા  છે

(10:52 pm IST)